ઈ-ન્યુઝલેટર | # ૧ - ઓગસ્ટ ૨૦૧૬ | |||
નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન: ગુજરાતી સાહિત્ય પરિષદના ક. લા. સ્વાધ્યાયમંદિર હસ્તક શ્રી બી. કે. મજૂમદાર ટ્રસ પ્રકાશનશ્રેણી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. આથી જે નવોદિત લેખકો-લેખિકાઓનું એક પણ પુસ્તક પ્રગટ ન થયું હોય તેઓ આ શ્રેણીમાં પોતાના પ્રથમ સર્જનાત્મક પુસ્તકની હસ્તપ્રત મોકલી શકે છે. આ પુસ્તકની પૃષ્ઠમર્યાદા ૧૫૦ની રહેશે. હસ્તપ્રતની ટાઇપ કોપી મોકલવી, હસ્તપ્રત તા. ૩૦-૯-૨૦૧૬ સુધીમાં મોકલી આપવા વિનંતી. હસ્તપ્રત મોકલવાનું સરનામું : પ્રકાશનમંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષઇ, ગોવર્ધનભવન, આશ્રમમાર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯.
૨૯મું જ્ઞાનસત્ર મગરવાડામાં: આ જ્ઞાનસત્ર બનાસકાંઠાના વડગામ તાલુકાના મગરવાડાસ્થિત શ્રી સર્વસાધારણ માનવ સેવા ટ્રસ્ટના યજમાન પદે શ્રી જૈન માણિભદ્રવીર દેરાસર ધર્મશાળાના પરિસરમાં તા. ર૩, ૨૪, ૨૫ ડિસેમ્બરના રોજ યોજાશે. જેનો વિગતવાર કાર્યક્રમ ‘પરબ’ના આગામી અંકમાં પ્રસિદ્ધ થશે.
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના લેખિત બંધારણમાં છેલ્લાં વર્ષોના અનુભવે તેમાં જરૂરી સુધારા કરવાનું આવશ્યક જણાયું છે. તે સંદર્ભે તા. ૯-૭-ર૦૧૬ની કાર્યવાહક સમિતિએ બંધારણમાં સૂચિત સુધારા કરવા માટે સૌ સભાસદોને પોતાનાં સૂચનો મોકલવા આથી જાણ કરે છે. |
ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad