ઈ-ન્યુઝલેટર | # ૧ - ડિસેમ્બર ૨૦૧૩ | |||
વિશેષ:
ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૭મું અધિવેશન ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર, આણંદ
|
માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અને શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્રના ઉપક્રમે 'માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ'નું
આયોજન તા.૧૫-૧-૨૦૧૪થી ૩૦-૧-૨૦૧૪ દરમિયાન કરવામાં આવ્યું છે. પંદર દિવસના આ અભ્યાસક્રમમાં શ્રવણકૌશલ, વાકકૌશલ, વાચનકૌશલ અને લેખનકૌશલની સજ્જતા કેળવાય તે અભિગમથી વિવિધ વ્યાખ્યાનો યોજવામાં આવે છે, જેમાં કોઈ પણ
ભાષારસિક - ભાષાજિજ્ઞાસુ, વયભેદ કે વ્યવસાયભેદ વગર જોડાઈ શકે છે. આ અભ્યાસક્રમની ફી ૩૦૦/- રૂપિયા રાખવામાં આવી છે. વર્ગોનો સમય સાંજે ૫ થી ૬.૩૦ (સોમવારથી શનિવાર) રહેશે. અભ્યાસક્રમમાં યોગેન્દ્ર વ્યાસ, અરવિંદ ભાંડારી,
રતિલાલ બોરીસાગર, ત્રિકમભાઈ પટેલ, કીર્તિદા શાહ, પિંકી પંડ્યા, સતીશ વ્યાસ વગેરે તજજ્ઞો સેવા આપશે. રસ ધરાવનારે પરિષદ કાર્યાલયમાં ૫ જાન્યુઆરી ૨૦૧૪ સુધીમાં ફૉર્મ ફી ભરી જવા વિનંતી છે.
|
||
ગ્રંથવિહાર: 'ગ્રંથવિહાર' એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણ કેન્દ્રનું નવું નામ છે. પરિષદ પરિસરમાં બીજા પ્રકાશકોનાં સાહિત્યિક પુસ્તકો પણ ઉપલબ્ધ થાય એ આશય છે. |
ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad