ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રમણલાલ સોની


રમણલાલ સોની  Ramanlal Soni

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

રમણલાલ પીતાંબરદાસ સોની, ‘સુદામો’ (૨૫-૧-૧૯૦૮, ૨૦-૯-૨૦૦૬): બાળસાહિત્યકાર, અનુવાદક. જન્મ મોડાસા તાલુકાના કોકાપુરમાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મોડાસામાં. ૧૯૪૦માં આગ્રા યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૪૫માં બી.ટી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક અને આચાર્ય. સત્યાગ્રહની લડતમાં સક્રિય અને જેલગમન. ૧૯૪૫માં નોકરી છોડીને સાહિત્ય અને સમાજહિતનાં કાર્યોમાં વધુ સક્રિય. ખેડૂતો તથા હરિજનોના ઉદ્ધાર માટે અનેક પ્રવૃત્તિઓનું સંચાલન. ૧૯૫૨થી ૧૯૫૭ સુધી મુંબઈ ધારાસભાના સભ્ય.

ઉત્તમ બાળસાહિત્યકાર અને અનુવાદક તરીક પ્રતિષ્ઠિત છે. એમના બાળસાહિત્યમાં કલ્પના, વસ્તુ અને નિર્માણનું વૈવિધ્ય છે. બાળમાનસમાં ઉચ્ચતર જીવનભાવનાના બીજ વાવે તેવી – ઉપનિષદો, મહાભારત, રામાયણ, ભાગવત વગેરે સંસ્કૃત ગ્રંથોની પ્રસંગકથાઓનું લોકભોગ્ય શૈલીમાં આલેખન થયું છે. બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓના અનુવાદક તરીકેનું તેમનું આગવું સ્થાન છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.