ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ભોગીલાલ સાંડેસરા


ભોગીલાલ સાંડેસરા  Bhogilal Sandesara

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા (૧૩-૪-૧૯૧૭, ૧૮-૧-૧૯૯૫): વિવેચક, સંપાદક. જન્મ પાટણ તાલુકાના સંડેરમાં. ૧૯૩૫માં મેટ્રિક. ૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. ૧૯૪૧માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૪૩માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૪૩થી ૧૯૫૦ સુધી ભો.જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક – સંશોધક. ૧૯૫૦માં પીએચડી. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી મ.સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. એ દરમ્યાન ૧૯૫૮થી ૧૯૭૫ સુધી પ્રાચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક. ૧૯૫૫માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૫૯મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ. ૧૯૫૯માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમ જ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. ૧૯૬૨-૬૪ દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ. ૧૯૫૬-૫૭માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ. ૧૯૫૩માં રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૬૨માં નર્મદ સુવર્ણચન્દ્રક. ૧૯૮૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

પ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્વતાથી લેખકે કાર્ય કર્યું છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.