સ્વાગત         

સમાચાર



પરિષદ સમાચાર



પુસ્તક વિભાગ


નવું પુસ્તક!

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ: ૮ -ખંડ ૧,૨
(ઈ.૧૯૩૬-૧૯૫૦)
સ્વાતંત્ર્યોત્તર યુગ-૨

- સં.પારુલ કંદર્પ દેસાઈ, પાકું પૂંઠું



'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથશ્રેણીના આ આઠમા ભાગમાં ૧૯૩૬થી ૧૯૫૦ સુધીના સમયગાળાનાં નવલકથાકારો, વાર્તાકારો, ચાર્ટરકારો, અનુવાદકો, વિવેચકો, સંશોધકો અને સંપાદકોનો સમાવેશ થયો છે. અનેક વિદ્વાનોના સહયોગથી તૈયાર થયેલો આ માતબર ઇતિહાસગ્રંથ વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડશે.

નવીન પ્રકાશનો વિશે વધુ વાંચો »

આ પુસ્તક ઉપલબ્ધ છે અહીંથી

વાચનકક્ષ


આર્કાઈવ્ઝમાંથી


પદ્ય: સૌને હવે લાગવું જોઈએ - ચંદ્રકાન્ત શેઠ



બંધિયાર પાણીમાં પડ્યો રહું
ને મને લીલ ચડ્યાં કરે, ચડ્યાં કરે...
જરાયે મંજૂર નથી એ મને!
મારા થકી કોઈને ઠોકર લાગે
કોઈનું હાડ તૂટે, માથું ફૂટે
ને એમ સૌને નડતો રહું ને વાગતો રહું...
એય મંજૂર નથી લેશ પણ મને!
મારે ચણાવું નથી કોઈના/ની ભેદની ભીંતોમાં,
મારે બંધાવું નથી કોઈ કંજૂસની કાઠી કોટડીમાં,
મારે જડાવું નથી કોઈ માણભૂખ્યાના મતલબી પગથિયામાં,
મારે નથી ખોડાવું પાખંડની પ્રતિમા થઈને
કોઈ મઠાધીશના ઠાકરદ્વારે!
મારે તો રૂંવે રૂંવે પાણીના ટશિયા ફૂટે
એવા થઈ રહેવું છે લીલાછમ!
આમ તો કુળેમૂળે છું પથ્થર જ,
પણ મારામાં કેવું છે પાણી તેનું ભલે થઈ જાય પારખું
મારી પડખે ચડનાર હરકોઈની આગળ!
સૌને હવે હાડોહાડ લાગવું જોઈએ -
પાણીને જીવતું રાખવા
મારા જેવા પથ્થરનેય જીવતો રાખવો જોઈશે...


(પરબ : પરબ જુલાઈ ૨૦૦૯ )


વધુ વાંચો »


પ્રવૃત્તિ વિભાગ

રવીન્દ્રભવન

ગુજરાતી ભાષા

માતૃભાષા

માતૃભાષા સંવર્ધન કેન્દ્ર

પરિષદના પ્રમુખો

૧૯૦૫-થી-વર્તમાન
વર્તમાન પ્રમુખ: શ્રી
શ્રી હર્ષદ ત્રિવેદી (વર્ષ ૨૦૨૪ - ૨૦૨૬)

સભ્યપદ

નવું અને રિન્યૂઅલ

ડોનેશન અને આપનો સહયોગ

માહિતી

  • સેક્શન 80G
  • કરમુક્ત
દ્રશ્ય-શ્રાવ્ય વિભાગ

ઓડિયો વિડિયો આર્કાઈવ્ઝ


ઇતિહાસ

૧૦૦ વર્ષથી ય વધુ

ગુજરાતમાં સાહિત્યિક આબોહવા પ્રગટાવવા ગુજરાતના સંસ્કારપુરુષ રણજિતરામ વાવાભાઈના નિષ્ઠાભર્યા પ્રયત્ન્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ અસ્તિત્વમાં આવી અને પરિષદના પ્રથમ સંમેલનના પ્રમુખ તરીકે ગુજરાતી ભાષાના મહાન નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીની સેવા સાંપડી. રણજિતરામ ઉપરાંત ઈ.સ.૧૯૨૦થી ઈ.સ.૧૯૨૮ દરમિયાન રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવની પ્રેરણા અને ઉષ્મા પરિષદને પ્રાપ્ત થયાં. આ સમય દરમ્યાન, ઈ.સ.૧૯૨૦માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અતિથિવિશેષપદ નોંધપાત્ર હતું. ઈ.સ.૧૯૨૮થી ૧૯૫૫ સુધી પરિષદનું સુકાન કનૈયાલાલ મુનશીએ સંભાળ્યું હતું. અમદાવાદમાં ઈ.સ.૧૯૩૬માં યોજાયેલું બારમું પરિષદ-સંમેલન મહાત્મા ગાંધીજીના પ્રમુખપદથી અવિસ્મરણીય બની રહ્યું. ...વધુ વાંચો››

સીમાચિહ્નો્ (માઇલસ્ટોન્સ)

Since 1905