ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : ધીરુબેન પટેલ


ધીરુબેન પટેલ  Dhiruben Patel

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

ધીરુબેન ગોરધનભાઈ પટેલ (૨૯-૫-૧૯૨૬): નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પ્રકાશન’નું સંચાલન. ૧૯૬૩-૧૯૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૨૦૦૩માં પરિષદપ્રમુખ.

ધીરુબેન પટેલ નોંધપાત્ર નવલકથાકાર – વાર્તાકાર છે. એમની પાસેથી ‘વડવાનલ’ જેવી દળદાર તો ‘આંધળી ગલી’, ‘વાંસનો અંકુર’ જેવી લઘુનવલો મળે છે. નવલકથામાં વિશિષ્ટ વસ્તુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવમનની સંકુલતાને તાગે છે. તેમની વાર્તાઓમાં પણ પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનના ઊંડાણોને તાગવાની મથામણ વિશેષતા બની આવે છે. આ ઉપરાંત હાસ્યસાહિત્ય, નાટકો, રેડિયોનાટકો, બાળસાહિત્યક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમની આગંતુક નવલકથાને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.