ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : નિરંજન ભગત


નિરંજન ભગત  Niranjan Bhagat

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

નિરંજન નરહરિલાલ ભગત (૧૮-૫-૧૯૨૬): કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં.૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઈટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મેટ્રિક. ૧૯૪૪-૧૯૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં ૧૯૫૦માં એમ.એ. ૧૯૫૦થી ૧૯૮૬ સુધી અમદાવાદની વિવિધ આર્ટસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તથા સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં વિભાગીય અધ્યક્ષ. પછીથી નિવૃત્ત. ૧૯૫૭-૫૮માં ‘સંદેશ’ દૈનિકના સાહિત્યવિભાગના સંપાદક. ૧૯૭૭માં ‘ગ્રંથ’ માસિકનું સંપાદન. ૧૯૭૮-૭૯માં ત્રૈમાસિક ‘સાહિત્ય’ના તંત્રી. ૧૯૪૯માં કુમારચન્દ્રક. ૧૯૫૭માં નર્મદચંદ્રક. ૧૯૬૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૯૭ દરમ્યાન પરિષદ-પ્રમુખ, હાલ ટ્રસ્ટી.

અનુગાંધીયુગના અગ્રણી કવિ છે. રવીન્દ્ર કાવ્યસંસ્કારને ઝીલતી લયસમૃદ્ધિ અને કાવ્યગુરુ બ.ક.ઠાકોરની વિચારપ્રધાન કવિતાનો પ્રતિઘોષ તેમની કવિતાની વિશેષતા છે. બોદલેર, રિલ્કે, ટી.એસ.એલિયટ જેવા કવિઓની યુરોપીય ચેતનાના સંપર્કથી કલ્પન અને પ્રતીકલક્ષી કવિતાનો તેમણે પોતાનાં કાવ્યસર્જન અને કાવ્યવિવેચન દ્વારા પુરસ્કાર કર્યો છે. ‘પ્રવાલદ્વીપ’નાં નગરકાવ્યોમાં આધુનિક ભાવબોધનું અપૂર્વ નિરૂપણ થયું છે. સાહિત્યના બહુશ્રુત અભ્યાસી વિદ્વાન તેમ જ ઉત્તમ વક્તા તરીકે તેઓ જાણીતા છે. એમણે આજીવન કરેલાં બહુમૂલ્ય વક્તવ્યો અને સ્વાધ્યાયો ‘સ્વાધ્યાયલોક’ ગ્રંથશ્રેણીમાં સંગ્રહીત છે. વિરામો સાથે ચાલતી એમની કાવ્યસર્જનયાત્રા આજે પણ અટકી નથી.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.