ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : યશવંત શુક્લ


યશવંત શુક્લ  Yashwant Shukla

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

યશવંત પ્રાણશંકર શુક્લ (૮-૪-૧૯૧૫, ૨૩-૧૦-૧૯૯૯): નિબંધકાર, વિવેચક, પત્રકાર-સંપાદક, અનુવાદક. જન્મ ઉમરેઠમાં. ૧૯૩૮માં સુરતની એમ.ટી.બી. કૉલેજ દ્વારા મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૧ દરમિયાન ગુજરાત કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૨-૪૫ દરમિયાન ભારતીય વિદ્યાભવનમાં પહેલાં રીડર પછી પ્રોફેસર. ૧૯૪૬-૫૫ દરમિયાન ભો.જે. વિદ્યાભવનમાં પહેલાં પ્રોફેસર પછી આસિસ્ટંટ ડાયરેક્ટર. ૧૯૫૫થી ૧૯૭૮ સુધી હ.કા. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં આચાર્ય. દરમિયાન ૧૯૭૪-૭૫માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ. ૧૯૭૮થી ગુજરાત વિદ્યાસભામાં સંયોજક. ૧૯૭૩થી ૧૯૮૩ સુધી નેશનલ સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલ અને એકિઝક્યુટિવ બોર્ડના સભ્ય. ૧૯૮૪-૮૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. નર્મદચંદ્રક વિજેતા.

વિવેચનક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર આ સર્જક પાસેથી સંસ્કૃતિલક્ષિતા અને માનવીય અભિગમ ધરાવતા નિબંધો પણ મળ્યા છે. કુશળ વક્તા હોવાથી તેમના નિબંધોમાં તાર્કિકતા અને ચુસ્તતા જોવા મળે છે. તાટસ્થ્યપૂર્ણ સતશોધન એમના વિવેચનનો મુખ્ય ઉપક્રમ છે. કેળવણીકાર, ઇતિહાસકાર, સંસ્કૃતિચિંતક જેવા આ લેખકના વિવિધ પાસાંઓને કારણે વિચારક – વિવેચકનો હૃદ્ય આલેખ તેમના વિવેચનોમાં જોઈ શકાય છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.