પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦

ફેબ્રુઆરી-૨૦૧૦

ફેબ્રુઆરી

  • રાજેન્દ્ર શાહને શ્રધ્ધાંજલિ: આપણા મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહનું ૨ જાન્યુઆરીના રોજ નિધન થયું. તેમને અંજલિ આપવા તા.૧૨-૧-૨૦૧૦ના રોજ પરિષદમાં શોકસભાનું આયોજન કર્યું હતું.
  • સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે. હવે પછીનું વ્યાખ્યાન ૨૫ ફેબ્રુઆરીના રોજ અપાશે.
  • બુધસભા -ભાવનગર: ગુજરાતી સાહિત્ય પરિષદ અને બુધસભા -ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તા.૨૫-૧૧-૦૯ના રોજ શ્રી રવીન્દ્ર પારેખે 'નાટ્યકાર તરીકેની કેફિયત' પર ભાવનગર મુકામે વ્યાખ્યાન આપ્યું હતું.
  • ગ્રંથ ગોષ્ઠિ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા યોજાતા ગ્રંથગોષ્ઠિ કાર્યક્રમ અંતર્ગત તા.૮-૧૨-૦૯ના રોજ શ્રી મીનળબેન દવી મરાઠી લેખિકા સુનિતા દેશપાંડેની કથા વિશે આસ્વાદલક્ષી વક્તવ્ય આપ્યું હતું. હવે પછીનું વક્તવ્ય ૧૬ ફેબ્રુઆરીના રોજ અપાશે.
  • ચી.મ.ગ્રંથાલય રાષ્ટ્રીય ગ્રંથસપ્તાહ: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ચી.મ.ગ્રંથાલયમાં રાષ્ટ્રીય ગ્રંથસપ્તાહની ઉજવણી નિમિત્તે તા.૧૪-૧૧-૦૯થી તા.૨૦-૧૧-૦૯ દરમિયાન વિ વિધ કાર્યક્રમોનું આયોજન તેમજ ચરિત્રાત્મક વિગતો સાથે સાહિત્યકારોના ફોટાઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
  • નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન: ગુજરાતી સાહિત્ય પરિષદના ક.લા.સ્વા.મંદિર હસ્તક શ્રી બી.કે.મજમુદાર ટ્રસ્ટ પ્રકાશન શ્રેણી અંતર્ગત નવોદિત સર્જકોના પ્રથમ સર્જનાત્મક પુસ્તકનું પ્રકાશન કરવામાં આવે છે. વધુ જાણકારી માટે પ્રકાશનમંત્રીશ્રીનો સંપર્ક કરવો.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.