પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦

સપ્ટેમ્બર-૨૦૧૦

સપ્ટેમ્બર

  • 'વાંચે ગુજરાત' અંતર્ગત સૂરતમાં યોજાયેલા પુસ્તક-પરિચયના કાર્યક્રમો:
    • પુસ્તકો વાંચતાં બાળકોનો માનસિક વિકાસ વધુ - ડૉ.રમેશ ઓઝા
    • વિશ્વપ્રસિદ્ધ સાહિત્યકૃતિની શ્રેણીમાં કાલિદાસના 'મેઘદૂત'ની રજૂઆત
    • 'ન હન્યતે' નવલકથાનો આસ્વાદ ડો.અશ્વિન દેસાઈએ કરાવ્યો
    • 'મને ગમતું પુસ્તક'માં ઈસ્મત ચુઘતાઈ લિખિત આત્મકથા 'કાગઝી હૈ પેરહન'નો પરિચય
    • આશાપૂર્ણાદેવીની વાર્તાઓનો આસ્વાદ
    • અંજની પારેખ લિખિત હાસ્યનિબંધ 'વિનોદિકા'નો પરિચય
    • 'સુરત મુજ ઘાયલ ભૂમિ' અને ભગવતીકુમાર: 'એક કેસસ્ટડી' - બકુલેશ દેસાઈ
    • ઉમાશંકર જોશીની જન્મશતાબ્દીની ઉજવણી નિમિત્તે 'ઉમાશંકર વિશેષ'
  • તા.6-8ને શુક્રવારે ડો.કિશોર વ્યાસે વિ.મ.ભટ્ટ વ્યાખ્યાનમાળા અંતર્ગત 'માધ્યમો અને સાહિત્ય' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.
  • તા.7-8ના રોજ રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રી નિરંજન ભગતનું વ્યાખ્યાન 'રવીન્દ્રનાથ ટાગોરનું પક્ષીકાવ્ય' વિષય પર હતું.
  • પાક્ષિકી: તા.12-8ના રોજ સુશ્રી સ્વાતિબહેન મેઢે તેમની 'નિદ્રા-અધીન' વાર્તાનું પઠન કર્યું હતું.
  • માતૃભાષા કૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ એક સફળ સલાડું -તા.29-7-10થી તા.23-8-2010
  • સાહિત્યસિદ્ધાંત વ્યાખ્યાનશ્રેણીનું છઠ્ઠું વ્યાખ્યાન તા.30 સપ્ટેમ્બરે ડો.મહેશ ચંપકલાલ 'સંસ્કૃત રંગભૂમિ અને ગ્રીક થિયેટર' વિશે આપશે.
  • મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત સાહિત્ય અકાદમીએ નર્મદ પારિતોષિક તા.24 ઓગસ્ટે ગુજરાતીમાં શ્રી રઘુવીર ચૌધરી અને મધુ કર્ણિકને અર્પણ કર્યો. બંને સાહિત્યકારોને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી અભિનંદન.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે.
  • વૈચારિક ક્રાંતિની જ્યોત 'વાંચે ગુજરાત': આ વૈચારિક ક્રાંતિ ખરેખર ઝગવવી હોય તો આમ આદમી પાસે જવાની વાત સો ટકા સાચી છે.
  • પરિષદની વિવિધ વ્યાખ્યાનમાળા: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ વ્યાખ્યાનમાળાઓ અંતર્ગત સા હિત્ય, શિક્ષણ, પત્રકારત્વ વગેરે વિશેનાં પંદરેક વ્યાખ્યાનોનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે.
  • ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
  • કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.